અશ્રુ ભરી આંખો મહી પુણ્ય છબી છે આપની
વર્ષો થી સતત અને આજે પણ એકાંત ની પળો માં એ પક્ષીઓ ના કલરવ માં એ મેગ્ધનુષ ભરી સંધ્યાએ
સંસ્મરણો જ અવસ્થાને એ ગતિ માં દોરી જાયછે જે સમય એક અતિ આનંદ આપનાર જીવનના દરેક રંગો થી ભરેલ આહલાદ્ક અને શીતળતા અપાવતી એ ચાંદની રાત્રી એ જાણે કોઈક અલગ દુનિયામાં તરવરતું એક અનોખું પ્રેમ નું ગીત જ્યાં કોઈ દ્રેષ નથી જ્યાં છલ કપટ નથી જ્યાં સ્વાર્થ નથી પાપ નો પ્રકાશ નથી બસ સતત અવિરત વહેતી પ્રેમ ની ધારાઓ જ્યાં મન મૂકી ને જીવી સકાય
પણ આ બધી ભાગ્ય ની કળાઓ છે જેમાં કોઈ ખીલે છે કોઈ મુરઝાઈ જાય છે સમય પણ ત્યાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે છે અને એક કાળ ની થાપટ ઝગમગતા દીવડાને અસ્ત કરી દેછે
હે પ્રભુ એ તારી થાપટ ના પડઘા કોઈને પણ ના સંભળાવીશ ફૂલોને ખીલવા દે એની ફોરમ થી જગ ને સુગંધિત થવા દે આ જગ નો રચિયતા તું છે ઓ પાલનહારા તારી રચનાઓ માં જરા પ્યાર ભાવનાઓ ના બે શબ્દો મૂકી દે અને શાંતિ ત્યાં સ્થાયી કરી દે હે નિરાકારી અખિલ બ્રહ્માંડ ના માલિક તમે આ ધરાને સ્વર્ગ સમી સોહામણી કરી દો,
હું સમય ને તારી ભેટ સમજી જીવી રહ્યો છું એ વેદના એ વ્યથા એના દર્દ શું એ તો એજ સમજી સકે જેને ઝગમગતી રોશનીમાં અંધારું ઝોયું હોય કારણ કે ઘાયલ કી ઘાયલ જાણે જો કોઈ .......
............................ મોર નાચતે હુએ ભી રીતા હે ઓર હંસ મરતે હુએ ભી ગાતા હે યે જિંદગી ક ફંડા હે યારો દુખો વાલી રાત નીંદ નહિ આતી ઔર ખુશી વાલી રાત ભલા કોન સોતાહે !!!!!!!!
( આ મન ના વિચારો છે સાચા ખોટા રામ જાણે વ્યક્તિગત દુખી થવું નહિ )
હસમુખ બી ગઢવી
હસમુખ ગઢવી |
No comments:
Post a Comment