મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Thursday 6 September 2012

LOG IN LOVE

 


પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે


Computerની circuit જેવા સંબંધો!

હવે સંબંધો install થઇ શકે છે,
હાર્ટમાં લાગણીઓનું storage થઇ શકે છે.
એ copy-paste થાય, delete થઇ શકે,  rename તો રોજે રોજ થઇ શકે છે.

સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ share થઇ શકે છે.
જરૂર પડે તો formate change થઇ શકે છે.

પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં email મળવાથી પણ થઇ જાય છે!
હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે. 
સંબંધોમાં પણ હવે ‘mobile number portability’ જેવી સરળતા રહે છે.
terms-condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.

‘live in relationship’ જેવા રૂપાળા label મળે છે.
પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે.

પૈસાથી સંબંધો recharge થાય છે.
હવે તો બધું જ on-line થઇ શકે છે.
credit cardથી રોમાંસ થઇ શકે છે!

પણ,
આ બધું તું જવા દે.
જે થતું હોય તે થવા દે.
આપણો પ્રેમ disconnect ન થઇ જાય તે જોજે.
આપણી નાનકડી દુનિયા on-line  install કરવી પડશે,
next, next, next કરતાં એને run કરવી પડશે.

મારા માટે તું antivirus સમ લાગે છે,
તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.

facebook પર મળતી રહેજે,
email, call કરતી રહેજે.
તો ચાલ, હવે હું જાઉં છું,
આજ પુરતો log off થાઉં છું.










Online તું પ્યાર કરે છે!


 
                                                                                                                                                                   Mobile થી વાત કરે છે,
Webcam થી મુલાકાત કરે છે!
વાતો દિવસ રાત કરે છે,
વખાણ તું મોં-ફાટ કરે છે!
                                                                                                                                                                   મીઠી વાતો  mail કરે છે,
રંગીન વાતો  share કરે છે.
ચેટીંગ-ચેટીંગ રમતાં રમતાં,
દુર બેઠી તું લહેર કરે છે!
                                                                                                                                                                   ગમે ત્યારે hi કરે છે,
ગમે ત્યારે bye કરે છે,
મેં તો લીલો પ્રેમ કર્યો છે,
તું કેમ એને dry કરે છે?
                                                                                                                                                                       સાવ simple પ્યાર કરે છે!
By default વ્યવહાર કરે છે.
મને ગમે છે અંગત મળવું
Online તું પ્યાર કરે છે!

પ્રેમ નું વહેમ

સંબંધતો પ્રેમનો થવા ...


સંબંતો પ્રેનો વા.
.. સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!
એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!
કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!
કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,

જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!
યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!પામવાં મૃત્યુ 'રવિ' આખરમાં કુદરતી, જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!

નિષ્કા દિલે કા દા

નિષ્કામ દિલે કર કામ સદા, વિવાદ જગતને કરવા દે...
ભૂલી તારા સદગુણ ને અવગુણ યાદ જગતને કરવા દે...
તું માનવ થૈ ને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂરનો રસસ્વાદ જગતને કરવા દે..
મનના મ્હાસાગરનાં મોતીની માળા તું સહુને દેજે,
એના બદલામાં પથ્થરનો વરસાદ જગતને કરવા દે..
જગની ઉન્નત ઇમારતનો મૂંગો પથ્થર એકાદ થજે,
અન્યાય મળે તું ને તોયે ફરીયાદ જગતને કરવા દે..
જનતા જ્યારે નિર્જનતામાં ઝંખે વાણીની સરવાણી,
તારા ઉરના સંવાદ ‘રવિ’ અનુવાદ જગતને કરવા દે.


વાડ વિના ના ચડતો વેલોવાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો....

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળેતો સફળ થાય હારેલો...વાડ વિના
ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો...વાડ વિના
પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો...વાડ વિના



હો તામાં બૂરી...

હો સફળતામાં સબૂરી, સાધના અધૂરી ન હો !
થાય કે ના થાય સારું, ભાવના બૂરી ન હો...!
જીન્દગીના લાખ ઝંઝાવાતના આઘાત શા !
હિંમતે મરદા થવામાં લેશ, મજબૂરી ન હો.. !
હરકાર્યમાં એવી લગન હો, જે ટકે આખર સુધી
અંત પહેલાં શ્રાંત ને, આરંભમાંજ શૂરી ન હો.. !
જન્મથી મૃત્યુ લગી લાંબી સફર એ જીન્દગી !
ખ્યાલો મહીં ખોવાય એ હકીકતની મગરૂરી ન હો.. !
રંગ બદલે માનવી કૈં કૈં જમાના સંગમાં !
નિર્લેપ હો જળકમળવત, કો’ અસર આસૂરી ન હો... !
હર પતનમાં હો ઉન્નતિ, પ્રસ્થાન પીછેહઠ મહીં
સોપાન સતનું એક બસ, મંજીલ ભલે પૂરી ન હો... !
સત્કર્મનાં બી વાવજે, છો ને મળે ફળ અન્યને
પ્રારબ્ધથી કો’ નહીં લૂંટે, પ્રભુની જો મંજૂરી ન હો... !
સ્નેહી મટીને સ્વજન, દુ:શ્મન થાય તો યે શું ‘રવિ’ !
હર વૃક્ષમાં ચંદન નથી, હર મૃગમાં કસ્તૂરી ન હો ... !

જેને કોઈ વ્યથા નથી, એની કથા નથી.

જેને કોઈ વ્યથા નથી, એની કથા નથી.
કોણ છે અહી જે, જિંદગીથી ખફા નથી.
ઓળખાણ આંખની,નામ આપ્યું સંબંધ ?
પ્રેમ નહીં એ વહેમ છે, જેમાં વફા નથી.
અવરજવર શ્વાસની,બોદી બોદી ધડકનો.
ખાના બધા ખાલી,સુખ નામે  જમા નથી.
દુખ, દર્દ, પીડા, ઉદાસી, આંસુ, તકલીફો,
પ્રભો, હજુ તારા દિલમાં “ખમ્મા” નથી ?

જીવવાના વહેમમાં જીવું છું,

જીવવાના વહેમમાં જીવું છું,
રોજ પુછાતા કેમમાં જીવું છું.
કશું નથી વ્યવસ્થિત અહી,
છે બધુંજ  જેમતેમ, જીવું છું.
છે આકાશી રોજી જેવો સાવ,
એ આભાસી પ્રેમમાં જીવું છું.
મેંજ બાંધેલી ભીંત પર આજ,
એક નાનકડી ફ્રેમમાં જીવું છું.
હસું બી ગઢવી  



શરીર રચના

માનવ શરીર રચના

  1. આપણા શરીરમાં કાર્બન ,હાઈડ્રોજન , ઓક્સિજન , નાઈટ્રોજન , ફોસ્ફરસ , કેલ્શયમ અને લોખંડનું બનેલું છે .
  2. આપણા શરીરમાં ૬૦ થી ૭૦ % જેટલું પાણી હોય છે.
  3. પાચન ,શ્વસન , રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ આપણા શરીરની મુખ્ય ક્રિયાઓ છે .
  4. આપણા શરીરની નસો ની કુલ લંબાઈ આશરે ૯૬,૫૪૦ કિ.મી જેટલી હોય છે.
  5. આપણા શરીરનો મુખ્ય એકમ કોષ છે.

  1. આપણા શરીરમાં કુલ ૨૧૩ હાડકાં હોય છે.
  2. આપણા શરીરનું સરેરાશ  ઉષ્ણતામાન ૩૭ ‘ સે .જેટલું નોધાયું છે.
  3. આપણા શરીરમાં શ્વસોરછવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૯ વખત થાય છે .
  4. આપણા શરીરમાં ૯૦૦૦ જેટલી સ્વાદ કલિકાઓ હોય છે.
  5. આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશ્વાહીનીઓ હોય છે .
  6. આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ % છે.લગભગ ૧૨ શેર લોહી હોય છે.
  7. આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ હોય છે.
  8. શરીરનો મોટો અવયવ યકૃત છે.
  9. પુખ્ત માણસ ના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે .
  10. પ્રજનન માટે પુરષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટરોજન હોય છે

Tuesday 4 September 2012

જરા ધ્યાનથી જુવો



















ME AND BHAVESH GADHAVI AND BHUPENDRA GADHAVI 
FORM- ROZAVADA, TA-KAPADVANJ, DI- KHEDA (GUJARAT)
PH (09158880792 MH)

Saturday 1 September 2012

ઈન્સાનિયત એક ઇન્સાન કી


 


મેહમુદ એહમદીનેજાદની જીવનશૈલી જોઈ આપણા નેતાઓ પર ફિટકાર ઉદભવી શકે 
( આ કોઈ વ્યક્તિ ગત નથી પણ સમાજ ને સમજવા જેવી વાત છે અને સ્વતંત્ર ભારત માં 
સ્વરાજ ની વાત છે ઊંડે ઊંડે એક આશ છે કે ક્યારેક તો ભારત આઝાદ થશે ભ્રષ્ટ્ર નેતાઓ ની ચુન્ગાલ માંથી જાગો યુવાન જાગો ...................હસમુખ ગઢવી )

વિશ્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ એ કોઈ નવી વાત નથી. ઈરાન પર અણુ બોમ્બ બનાવવાનો આરોપ લગાવી જગત જમાદાર અમેરિકા વિશ્વ આખામાં ચિંતા ઉપજાવે છે અને સાથે જ ઈરાનને ડારવા ન્હોર પણ બતાવે છે. ઈરાનને ડારવા ક્યારેક ઈઝરાયેલને આગળ કરે છે તો ક્યારે આરબ રાષ્ટ્રો અને મુસ્લિમ દેશો વચ્ચે ઈરાનને એકલું પાડી દે છે. તેમ છતાં પણ ઈરાન અમેરિકાની ધમકીઓની પરવાહ કર્યા વીના અમેરિકા સામે ‘ઉભું’ રહે છે.

ઈરાન દ્વારા આવ પગલા ભરાતા ચોક્કસ એક પ્રશ્ન થાય કે આખરે અમેરિકા સામે આંખ કાઢવાના તેવર ઈરાનમાં ક્યાંથી આવતા હશે. ઈરાનની બાબતમાં થોડા અંદર ઉતરતા માલુમ પડશે કે ઈરાનની આ શક્તિ પાછળ મુખ્ય પરિબળ છે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મેહમુદ એહમદીનેજાદ. એહમદીનેજાદ એ જ વ્યક્તિ છે જે ખરા અર્થમાં ઈરાનને આર્થિક અને સામરિક શક્તિ બનાવવાના પ્રયાસમાં લાગ્યા છે. આ એ જ વ્યક્તિ છે જેની ધમકીને અમેરિકા માત્ર ધમકી રૂપે જ નહીં, પરંતુ ચેતાવણી રૂપે પણ કાને ધરે છે.

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ એહમદીનેજાદ વિશે દુનિયા ઘણું જ ઓછું જાણે છે. અને જે જાણે છે તેમા પશ્ચિમી મીડિયાનો વધુ પડતો પ્રભાવ જોવા મળે છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ પોતાના વાંચકો માટે ઈરાનના રાષ્ટ્રપ્રમુખના જીવનમાં ડોકિયું કરવા પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
આજે પણ મોટા ભાગે ઈરાને અને ગલ્ફના રાષ્ટ્રો તેમજ મીડલ ઈસ્ટના રાષ્ટ્રો વચ્ચેનો તફાવત જૂજ લોકો માત્રને હોય છે. અને તેના લીધે જ, ઈરાનના રાષ્ટ્રપ્રમુખની કેવી જિંદગી જીવતા હશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સીધો જ ખ્યાલ એવો આવે કે, આરબ સુલતાનો અને સરમુખત્યારોની જીવનશૈલીથી એહમદીનેજાદની જીવનશૈલી ખાસ અલગ નહીં હોય. પરંતુ દુનિયા અહીં ભૂલ કરી બેસે છે. એહમદીનેજાદ એટલું સાદું જીનન જીવે છે કે, આપને જાણીને આશ્ચર્ય થઈ જશે. એહમદીનેજાદ પોતાની જાતના ઈરાનના સેવક ગણાવે છે. અને તેઓ માને છે કે, સેવકે રાજાની જેમ ન જીવવું જોઈએ. એહમદીનેજાદે જ્યારે રાષ્ટ્રપ્રમુખ બની પ્રથમ વખત પોતાના કાર્યાલયમાં પ્રવેશ્યા ત્યારે કાર્યાલયનો વૈભવ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. વિશ્વમાં જેની ભારે માંગ રહેલી છે તેવા બેશકીંમતી ઈરાનીય ગાલીચાઓથી કાર્યાલય સજાવવામાં આવ્યું હતું. એહમદીનેજાદે કાર્યાલયમાં પ્રવેશતા જ આ બધા ગાલીચાઓને બહાર કાઢી તેને તેહરાન ખાતેની એક મસ્જિદને દાન કરી દીધા. અને તેની જગ્યાએ સાવ સામાન્ય ગાલિચાઓ ઓફિસમાં ગોઠવી દીધા.

અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
ભારતીય નેતાઓની કોઈ શહેનશાહને પણ ઈર્ષા જન્માવે તેવા તગડા બેંક બેલન્સ અંગે જાણીને જો આપનો જીવ બળી ઉઠતો હોય તો જાણી લો કે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખની સંપંતીમાં 1977ના મોડલની પ્યૂજો 504 મોટરકાર, અને એક ઝીરો બેંક બેલેન્ડ એકાઉન્ટનો જ સમાવેશ થાય છે. જેમાં હાલમાં 250 અમેરિક ડૉલર જેટલી સંપતિ ધરાવે છે. આ આવક પણ તેમને અહીંની યુનિવર્સિટીમાં લેકચર આપવા માટેનાના વળતર તરીકે મળે છે.એટલું જ નહીં, તેઓ ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવા છતા પણ આજે પણ તહેરાનના અતી ગરીબ વિસ્તારમાં એક સાવ સામાન્ય ઘર ધરાવે છે. આ ઘર તેમના પિતાએ બનાવ્યું હતું. આપને સૌથી વધું આશ્ચર્ય તો એ થશે કે વિશ્વમાં માથાભારે માનવી તરીકે પંકાયેલા ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખ આ જ ગરીબ વિસ્તારમાં પોતાના કુટુંબિક ઘરમાં જ રહે છે. વિશ્વનેતાઓ જ્યારે કરોડો અરબોમાં મ્હાલે છે ત્યારે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખે પ્રમુખ તરીકેનો પોતાનો પગાર લેવાની પણ મનાઈ કરી છે. તેઓ પોતાની જાતને ઈરાનના સેવક ગણાવે છે અને સેવાનું વળતર ન હોવું જોઈએ એમ આ રાષ્ટ્રપ્રમુખનું માનવું છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
પોતાના કાર્યકાળ દરમિયાન ઈરાનના આ પ્રમુખે અનુભવ્યુ કે પ્રમુખ કાર્યાલય દ્વારા વીઆઈપી મહેમાનોનું સ્વાગત કરવા ઘણી વખત ત્રેવડ કરતા વધું ખર્ચાઓ કરવામાં આવે છે. તેમણે તુંરજ જ આ ખર્ચાળ પ્રથા બંધ કરાવી દીધી અને પોતાના કાર્યાલય સહિત વીઆઈઓ સગવડો માટેના સાવ સામાન્ય ઓરડાઓમાં પરિવર્તિત કરાવી દીધી. મંત્રીઓ અને અધિકારીઓ પર અંકુશ રાખતા એહમદીનેજાદ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો કે, તેઓએ પણ બને ત્યાં સુધી સાવ સાદું જીવન જીવવું પડશે. નેજાદ ભ્રષ્ટાચારના સખત વિરોધી છે આથી તેમણે પોતાના તંત્રમાં ભ્રષ્ટ્રાચાર રોકવા સખત નિયમો જાહેર કર્યા છે. જે અંતર્ગત મંત્રીઓ અને અધિકારીઓ જ નહીં, તેમના સગાસબંધીઓ પર, તેમના એકાઉન્ટ પર ખાસ નજર રાખવામાં આવ છે. 
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
રાષ્ટ્રપ્રમુખ એમહમદીનેજાદ જ્યારે પોતાના કાર્યાલય આવે છે ત્યારે તેમની સાથે તેમની કેટલીક મહત્વપૂર્ણ ફાઈલ્સ સાથેનું એક બેગ હોય છે. અને આ બેગમાં દરરોજ પોતાનો નાસ્તો સાથે લાવે છે. જેમાં ક્યારેક સેન્ડવીચ હોય છે તો ક્યારે બ્રેડ અને ઓલિવ ઓઈલ સાથે ચીઝ પણ હોય છે. પોતાની પત્ની દ્વારા બનાવાયેલા આ નાસ્તો એમદીનેજાદ ભારે લુત્ફ ઉઠાવતા આરોગે છે. એહમદીનેજાદે રાષ્ટ્રપ્રમુખના મેનેજરના કાર્યાલયને પણ બંધ કરાવી દીધું છે. આમ કરવાથી હવે તેમને કોઈ પણ જાતની પૂર્વ મંજરી વગર મળી શકાય છે. રાષ્ટ્રપ્રમુખ ગમે ત્યાં જાય ત્યાં તેમના સ્વાગત માટે રેડ કાર્ટેપ સેરેમની, ફોટો સેશન, ફોટો સેશન જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ એહમદીનેજાદે ખોટા ખર્ચાઓ અને પરંપરાઓ ત્યજવા આ પ્રથાઓ સાવ બંધ કરાવી દીધી છે. નેજાદ ગમે ત્યાં જાય ત્યાં એક સામાન્ય માણસની માફક જ જાય છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
વિશ્વના પ્રમુખો પોતાના હવાઈ સફરના શોખ સંતોષવા માટે વિમાનોનો એક આખો કાફલો વસાવતા હોય છે. જોકે, એહમદીનેજાદ આ લોકોની જમાતમાં જુદી જાતીના છે. તેમણે પોતાના ખાસ વિમાનને બદલે સામાન્ય પ્રવાસી વિમાનના ઈકોનોમિક ક્લાસમાં જ નેજાદ હવાઈ સફર કરે છે. અને આ રીતે તે રાષ્ટ્રનો ખોટો ખર્ચો બચાવવા પ્રયાસ કરે છે. એમહદીનેજાદ કોઈ હોટેલમાં રોકાય છે ત્યારે તે હોટેલને ખાસ સુચના આપવામાં આવે છે કે રાષ્ટ્રપ્રમુખને ફાળવવામાં આવનારા ઓરડો સાવ સાદો હોય તેમજ ખોઈ ખાસ બેડની સુવિધા વગરનો હોય. કારણ કે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખને ભવ્ય બેડ પર ઉંઘ નથી આવતી. તેઓ જમીન પર એક સાદી કાર્પેટ પાથરી આરામથી સુઈ જાય છે. એહમદીનેજાદને એક પત્રકાર દ્વારા એક વખત પ્રશ્ન પુછાયો હતો કે, તમે આટલા શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખ છો તો જ્યારે સવારે દર્પણમાં જુઓ છો ત્યારે શું અનુભવો છો? ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખના શબ્દો હતા કે “હૂં અરિસામાં દેખાતી વ્યક્તિને કહું છું કે તું ઈરાનનો એક સેવક માત્ર છે. ઈરાનની સેવા કરવા માટે તારા પર જવાબદારીઓનો ભારે બોજો છે”
ભારત જેવા ગરીબ દેશના રાજનેતાઓ અને સેલીબ્રીટીઝ લોકોએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખનાં જીવન પદ્ધતિ ઉપરથી સબક લેવો જોઈએ. હા, ભારતમાં રાજનેતાઓના જીવનની સલામતીનો ખતરો હોય છે તેથી એટલું સાદું જીવન જીવવું મુશ્કેલ પણ છે  કારણ કે પોતાના વોટ માટે બીજાનું અહિત કર્યું હોય કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા  હોય  બેનામી સંપતિ હોય  પોતાના હુકુમત થી લોકોને છેતર્યા હોય અને ધર્મ ના નામ ઉપર નિર્દોષ લોકોને માર્યા હોય એમને આવી મીઠી ઉંઘ ક્યાંથી આવે અરે એ મારે ત્યારે જીવડાઓ પણ એમના શરીર માં પડતા પહેલા વિચાર કરે કારણ કે એમ્નુય જીવન આજના નિર્દય નેતાઓથી સારું હોય છે 
હવે દેશને સુભાસ ચંદ્ર બોસ ગાંધીજી અને સરદાર પટેલ  અને સ્વામી વિવેકાનંદ ની જરૂર છે આપણે આશા રાખીએ કે મહાન ભારત માંથી કોઈક તો સુરવીર વીરલો મળશે જે દેશની કયા બદલશે જેનું દુનિયામાં ગૌરવ લઇ શકીશું જય માતાજી હસું ગઢવી ના જય હિન્દ। .